કનૈયાલાલ મુન્શી
Posted by સુરેશ on June 5, 2006
"કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ."
જન્મ તારીખ 30 ડિસેમ્બર – 1887
જન્મ સ્થળ ભરુચ
અવસાન 8 ફેબ્રુઆરી – 1971
માતા તાપીબા
પિતા માણેકલાલ
બહેનો છ બહેનો
લગ્ન 1) અતિલક્ષ્મી- 1900 2) લીલાવતી- 1926
બાળકો
અભ્યાસ મેટ્રિક –1901 ; બી.એ.- 1907, વડોદરા; એલ.એલ.બી. – 1910 ,મુંબાઇ
વ્યવસાય 1913 મુંબાઇમાં વકીલાત 1945 – મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક
જીવન ઝરમર 1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના; 1912 – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના; 1915-20’ હોમરુલ લીગ’ ના મંત્રી; 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું; 1922- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા; 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ; 1930-32 – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ;1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર; 1937-39 – મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન; 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના; 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ; 1942-1946- ગાંધીજી સાથે મતભેદ અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ; 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિ ન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ; 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર; 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા; 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય; 1952-57 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ; 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ; 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ ; 1959- ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ; 1960- રાજકારણમાંથી નિવૃત્ત
રચનાઓ નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર – 2
મુખ્ય રચનાઓ નવલકથા – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ. નાટક- કાકાની શશી- વિ. આત્મકથા- અડધે રસ્તે,
સન્માન દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના