Posted by સુરેશ on June 5, 2006
"અવનિ પરથી નભ ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં" જન્મ તારીખ 20 ઓક્ટોબર 1855
જન્મ સ્થળ નડીયાદ
અવસાન મુંબાઇ – 4 જાન્યુઆરી 1907
માતા શિવકાશીબેન
પિતા માધવરામ
બહેન સમર્થલક્ષ્મી
લગ્ન 1) હરિલક્ષ્મી-1866
2) લલિતાગૌરી 1876
બાળકો પુત્રી – લીલાવતી , જશવંતી; પુત્ર – રમણીયરામ
અભ્યાસ મેટ્રિક –1871 ; બી.એ.- 1875 ; એલ.એલ.બી.- 1883 - એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ
વ્યવસાય 1876- 1883- ભાવનગરના દીવાન શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી, 1887- વકીલાત
જીવન ઝરમર 1874 માં પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢી ડૂબ્યા બાદ અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ. જીવનના ત્રણ સંકલ્પ –1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી. 1902- અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં ભાગ 1905- પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
રચનાઓ સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4- નવલકથા, સ્નેહમુદ્રા- કાવ્યસંગ્રહ ,લીલાવતી જીવનકલા વિ.
સાભાર ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના
Posted in કવિતા, નવલકથા, વિવેચન | Leave a Comment »
Posted by સુરેશ on June 5, 2006
" રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ "
જન્મ તારીખ 28 ઓગસ્ટ 1896
જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન 9 માર્ચ 1947
માતા ધોળીમા
પિતા કાળીદાસ
ભાઇ લાલચંદ, પ્રભાશંકર
લગ્ન 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
બાળકો પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ મેટ્રિક –1912 ; બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘ સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘ છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ –13;લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9; સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન 1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 – મહીડા પારિતોષિક
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Posted in કવિતા, નવલકથા, નવલિકા, લોક સાહિત્ય, વિવેચન | 1 Comment »
Posted by સુરેશ on June 5, 2006
"યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે."
નામ નર્મદાશંકર દવે
જન્મતારીખ 24 ઓગષ્ટ 1833
જન્મસ્થળ સુરત
મૃત્યુ 25 ફેબ્રુઆરી 1886
મૃત્યુ સ્થળ મુંબાઇ
માતા
પિતા લાલશંકર
અભ્યાસ સુરત અને મુંબાઇ – 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.
વ્યવસાય 1858 સુધી શિક્ષણ 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું.
કૃતિઓ નર્મગદ્ય, નર્મકવિતા, નર્મકથાકોશ, મારી હકીકત
જીવન 1850- શિક્ષણ વ્યવસાય, 1858 – પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ, 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું. ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર, નવી શૈલીના કવિ . સમાજ સુધારક .' જય જય ગરવી ગુજરાત' ના કવિ. સંધિવા થી મૃત્યુ.
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના; 'નર્મદ' – વેબસાઇટ
વેબસાઇટ http://narmad.com/narmadthepersonmain.html
Posted in આત્મકથા, કવિતા, નિબંધ | 1 Comment »