ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

Archive for the ‘જીવન પ્રેરક સાહિત્ય’ Category

સચ્ચિદાનંદ સ્વામી

Posted by સુરેશ on June 6, 2006

 નામ              નાનાલાલ  ત્રિવેદી

જન્મ તારીખ    22 એપ્રીલ 1932

જન્મ સ્થળ       મોટી ચંદૂર, (પાટણ જિલ્લો) વતન મુજપુર

માતા             વહાલીબેન

પિતા             મોતીલાલ  

ભાઇ              ડાહ્યાલાલ, ચિમનલાલ  

ગૃહત્યાગ         1953  

અભ્યાસ          1966- ભારતીય દર્શનશાસ્ત્રમાં બનારસમાં વેદાન્તાચાર્યની પદવી- સુવર્ણચન્દ્રક સાથે

જીવન ઝરમર    1953- ગૃહત્યાગ અને ભારત-ભ્રમણ ; 1954- બ્રહ્નચર્ય દીક્ષા; 1956- મુક્તાનન્દ સ્વામી પાસે ફિરોઝપુર-પંજાબમાં સન્યાસ દીક્ષા; 1968- સમ્પૂર્ણ ભારતયાત્રા; દંતાલી- પેટલાદમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના; 1973- સૂઇ ગામ બનાસકાંઠામાં દુષ્કાળ રાહત કાર્ય; 1973- સૂઇ ગામમાં મા. શાળા અને છાત્રાલયની સ્થાપના; 2001- કચ્છ ભૂક્મ્પમાં રાપરમાં રાહત કેન્દ્ર

વિદેશપ્રવાસ    1970- પૂર્વ આફ્રિકા; 1976-યુગાન્ડા   મોરેશિયસ, ટાન્ઝાનિયા, કોન્ગો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વિટઝરલેંડ, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ઓસ્ટ્રિયા, અમેરિકા, કેનેડા,હવાઇ, મેક્ષિકો, જાપાન, કોરિયા, હોન્ગકોન્ગ, થાઇલેન્ડ, નેપાળ.ચીન, રશિયા, વિ.1994- દક્ષિણ અમેરિકા વિ, , 1996- ઇજિપ્ત, ઇઝરાયેલ, 1997- પ્રેસ્ટન (યુરોપ),  સ્વીડન. નોર્વે , ડેન્માર્ક, 2000- ચીન, 2004- ઓસ્ટ્ર્લિયા વિ. મુખ્ય પ્રદાન     ક્રાન્તિકારી વિચારો અને અધ્યાત્મંની સાચી સમજ આપી સમાજ સુધારણા

રચનાઓ   ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતા 50 પુસ્તકો

મુખ્ય રચનાઓ   જીવન દર્શન – મારા અનુભવો, નવા વિચારો, નવી દિશા, હવે તો જાગીએ, ઉપસંહાર, પ્રવાસ વર્ણન -  વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો, , પૃથ્વી- પ્રદક્ષિણા, યુરોપની અટારીએથી   

સન્માન     1985 શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક ; 1986 કાકા કાલેલકર પારિતોષિક; 1988- દધિચિ એવોર્ડ ;  1988- આનર્ત એવોર્ડ મહેસાણા; 1988- ગોંધિયા એવોર્ડ- રાજકોટ; 1994- દિવાળીબેન મહેતા એવૉર્ડ; 1994- દૈનિક પત્રકાર સંઘ દ્વારા એવોર્ડ    

સાભાર            ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in જીવન પ્રેરક સાહિત્ય, ધાર્મિક, પ્રકીર્ણ, પ્રવાસ-વર્ણન | Leave a Comment »

ધૂમકેતુ

Posted by સુરેશ on June 5, 2006

Dhumketu.GIF“મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. – પોસ્ટ ઓફિસ

નામ                  ગૌરીશંકર જોશી

જન્મ તારીખ    12 ડીસેમ્બર 1892

જન્મ સ્થળ       વીરપુર જલારામ

અવસાન          11 માર્ચ 1965, અમદાવાદ

માતા                 ગંગામા

પિતા                  ગોવર્ધનરામ  

ભાઇ                   રામજીભાઇ, અંબાશંકરભાઇ

લગ્ન                   કાશીબેન 1910

બાળકો                પુત્રી  ઉષા  પુત્ર દક્ષિણકુમાર, અશ્વિનકુમાર, ઘનશ્યામ   

અભ્યાસ             મેટ્રિક 1917- પોરબંદર ; બી.એ.- 1920 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ

 વ્યવસાય          1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં; 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં; 1923- અમદાવાદમાં શેથ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં; 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં;

જીવન ઝરમર   1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા; 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા; 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના  પ્રમુખ; 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા; 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.

રચનાઓ       ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2

મુખ્ય રચનાઓ      નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક, સામાજિક નવલકથા- પૃથ્વીશ, આત્મકથા- જીવનપંથ, નવલિકાઓ તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11; વિવેચન સાહિત્ય વિચારણા; જીવન વિકાસ જિબ્રાનનું જીવન દર્શન; બાળસાહિત્ય ઇતિહાસંની તેજમૂર્તિઓ     

સન્માન        1935 રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર); 1953 નર્મદ સુવર્ણચંદ્રક

સાભાર          ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in આત્મકથા, જીવન પ્રેરક સાહિત્ય, નવલકથા, નવલિકા, નાટક, બાળ-સાહિત્ય, વિવેચન | Leave a Comment »