ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

Archive for the ‘નવલકથા’ Category

ગોવર્ધનરામ ત્રિપાઠી

Posted by સુરેશ on June 5, 2006

goverdhantripathi.jpg"અવનિ પરથી નભ  ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં" જન્મ તારીખ    20 ઓક્ટોબર 1855

જન્મ સ્થળ       નડીયાદ

અવસાન          મુંબાઇ 4 જાન્યુઆરી 1907

માતા             શિવકાશીબેન

પિતા             માધવરામ

બહેન             સમર્થલક્ષ્મી

લગ્ન             1) હરિલક્ષ્મી-1866  

                         2) લલિતાગૌરી      1876

બાળકો          પુત્રી લીલાવતી , જશવંતી; પુત્ર    રમણીયરામ

અભ્યાસ         મેટ્રિક 1871 ; બી.એ.- 1875 ;          એલ.એલ.બી.- 1883 - એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ

વ્યવસાય        1876- 1883- ભાવનગરના દીવાન  શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી1887- વકીલાત

જીવન ઝરમર   1874 માં પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢી ડૂબ્યા બાદ અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ. જીવનના ત્રણ સંકલ્પ 1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી. 1902- અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં  ભાગ 1905- પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

ચનાઓ         સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4- નવલકથા,     સ્નેહમુદ્રા- કાવ્યસંગ્રહ ,લીલાવતી જીવનકલા  વિ. 

સાભાર            ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના    

Posted in કવિતા, નવલકથા, વિવેચન | Leave a Comment »

ઝવેરચંદ મેઘાણી

Posted by સુરેશ on June 5, 2006

zaverchandmeghani.jpg" રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ "   

જન્મ તારીખ    28 ઓગસ્ટ 1896

જન્મ સ્થળ       ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)

અવસાન         9 માર્ચ 1947

માતા             ધોળીમા

પિતા             કાળીદાસ

ભાઇ              લાલચંદ, પ્રભાશંકર

લગ્ન              1) દમયન્તી 1922 2) ચિત્રાદેવી 1934

બાળકો           પુત્રી  ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક

અભ્યાસ         મેટ્રિક 1912 ; બી.એ.- 1917 શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય       1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી    

જીવન ઝરમર   1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ સિંધુડો માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં છેલ્લી પ્રાર્થના કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં કોઇનો લાડકવાયો કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ

રચનાઓ        કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ 13;લોકસાહિત્ય વિવેચન/ સંશોધન 9; સાહિત્ય વિવેચન 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ 6

મુખ્ય રચનાઓ  તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો

સન્માન         1929 રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 મહીડા પારિતોષિક

સાભાર          ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in કવિતા, નવલકથા, નવલિકા, લોક સાહિત્ય, વિવેચન | 1 Comment »

કનૈયાલાલ મુન્શી

Posted by સુરેશ on June 5, 2006

Kanayyalal Munshi.jpg"કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ."

જન્મ તારીખ    30 ડિસેમ્બર 1887

જન્મ સ્થળ       ભરુચ

અવસાન         8 ફેબ્રુઆરી 1971

માતા             તાપીબા

પિતા             માણેકલાલ

બહેનો            છ બહેનો

લગ્ન             1) અતિલક્ષ્મી- 1900  2) લીલાવતી- 1926

બાળકો          

અભ્યાસ         મેટ્રિક 1901 ; બી.એ.- 1907, વડોદરા; એલ.એલ.બી. 1910 ,મુંબાઇ

વ્યવસાય       1913 મુંબાઇમાં વકીલાત 1945 મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક  

જીવન ઝરમર  1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના; 1912 ભાર્ગવ માસિકની સ્થાપના; 1915-20 હોમરુલ લીગ ના મંત્રી; 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન  યોજ્યું; 1922- ગુજરાત માસિક નું પ્રકાશન 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા; 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ; 1930-32 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ;1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર; 1937-39 મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન; 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના; 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ; 1942-1946-  ગાંધીજી સાથે મતભેદ  અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ; 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિ ન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ; 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર; 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા; 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય; 1952-57  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ; 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ; 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ ; 1959- ‘સમર્પણ માસિકનો પ્રારંભ; 1960- રાજકારણમાંથી નિવૃત્ત   

રચનાઓ     નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર – 2  

મુખ્ય રચનાઓ     નવલકથા  – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ.  નાટક- કાકાની શશી- વિ. આત્મકથા- અડધે રસ્તે,

સન્માન        દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી  

સાભાર        ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

Posted in આત્મકથા, નવલકથા, નાટક | Leave a Comment »