ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

Archive for the ‘નાટક’ Category

કનૈયાલાલ મુન્શી

Posted by સુરેશ on June 5, 2006

Kanayyalal Munshi.jpg"કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ."

જન્મ તારીખ    30 ડિસેમ્બર 1887

જન્મ સ્થળ       ભરુચ

અવસાન         8 ફેબ્રુઆરી 1971

માતા             તાપીબા

પિતા             માણેકલાલ

બહેનો            છ બહેનો

લગ્ન             1) અતિલક્ષ્મી- 1900  2) લીલાવતી- 1926

બાળકો          

અભ્યાસ         મેટ્રિક 1901 ; બી.એ.- 1907, વડોદરા; એલ.એલ.બી. 1910 ,મુંબાઇ

વ્યવસાય       1913 મુંબાઇમાં વકીલાત 1945 મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક  

જીવન ઝરમર  1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના; 1912 ભાર્ગવ માસિકની સ્થાપના; 1915-20 હોમરુલ લીગ ના મંત્રી; 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન  યોજ્યું; 1922- ગુજરાત માસિક નું પ્રકાશન 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા; 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ; 1930-32 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ;1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર; 1937-39 મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન; 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના; 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ; 1942-1946-  ગાંધીજી સાથે મતભેદ  અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ; 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિ ન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ; 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર; 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા; 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય; 1952-57  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ; 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ; 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ ; 1959- ‘સમર્પણ માસિકનો પ્રારંભ; 1960- રાજકારણમાંથી નિવૃત્ત   

રચનાઓ     નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર – 2  

મુખ્ય રચનાઓ     નવલકથા  – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ.  નાટક- કાકાની શશી- વિ. આત્મકથા- અડધે રસ્તે,

સન્માન        દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી  

સાભાર        ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

Posted in આત્મકથા, નવલકથા, નાટક | Leave a Comment »

ધૂમકેતુ

Posted by સુરેશ on June 5, 2006

Dhumketu.GIF“મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. – પોસ્ટ ઓફિસ

નામ                  ગૌરીશંકર જોશી

જન્મ તારીખ    12 ડીસેમ્બર 1892

જન્મ સ્થળ       વીરપુર જલારામ

અવસાન          11 માર્ચ 1965, અમદાવાદ

માતા                 ગંગામા

પિતા                  ગોવર્ધનરામ  

ભાઇ                   રામજીભાઇ, અંબાશંકરભાઇ

લગ્ન                   કાશીબેન 1910

બાળકો                પુત્રી  ઉષા  પુત્ર દક્ષિણકુમાર, અશ્વિનકુમાર, ઘનશ્યામ   

અભ્યાસ             મેટ્રિક 1917- પોરબંદર ; બી.એ.- 1920 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ

 વ્યવસાય          1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં; 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં; 1923- અમદાવાદમાં શેથ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં; 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં;

જીવન ઝરમર   1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા; 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા; 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના  પ્રમુખ; 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા; 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.

રચનાઓ       ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2

મુખ્ય રચનાઓ      નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક, સામાજિક નવલકથા- પૃથ્વીશ, આત્મકથા- જીવનપંથ, નવલિકાઓ તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11; વિવેચન સાહિત્ય વિચારણા; જીવન વિકાસ જિબ્રાનનું જીવન દર્શન; બાળસાહિત્ય ઇતિહાસંની તેજમૂર્તિઓ     

સન્માન        1935 રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર); 1953 નર્મદ સુવર્ણચંદ્રક

સાભાર          ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in આત્મકથા, જીવન પ્રેરક સાહિત્ય, નવલકથા, નવલિકા, નાટક, બાળ-સાહિત્ય, વિવેચન | Leave a Comment »