“મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” – પોસ્ટ ઓફિસ
નામ ગૌરીશંકર જોશી
જન્મ તારીખ 12 ડીસેમ્બર 1892
જન્મ સ્થળ વીરપુર – જલારામ
અવસાન 11 માર્ચ – 1965, અમદાવાદ
માતા ગંગામા
પિતા ગોવર્ધનરામ
ભાઇ રામજીભાઇ, અંબાશંકરભાઇ
લગ્ન કાશીબેન 1910
બાળકો પુત્રી – ઉષા પુત્ર –દક્ષિણકુમાર, અશ્વિનકુમાર, ઘનશ્યામ
અભ્યાસ મેટ્રિક –1917- પોરબંદર ; બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
વ્યવસાય 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં; 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં; 1923- અમદાવાદમાં શેથ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં; 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં;
જીવન ઝરમર 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા; 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા; 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ; 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા; 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
રચનાઓ ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2
મુખ્ય રચનાઓ નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક, સામાજિક નવલકથા- પૃથ્વીશ, આત્મકથા- જીવનપંથ, નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11; વિવેચન – સાહિત્ય વિચારણા; જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન; બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
સન્માન 1935 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર); 1953 – નર્મદ સુવર્ણચંદ્રક
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના