ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

Archive for the ‘વિવેચન’ Category

ગોવર્ધનરામ ત્રિપાઠી

Posted by સુરેશ on June 5, 2006

goverdhantripathi.jpg"અવનિ પરથી નભ  ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં" જન્મ તારીખ    20 ઓક્ટોબર 1855

જન્મ સ્થળ       નડીયાદ

અવસાન          મુંબાઇ 4 જાન્યુઆરી 1907

માતા             શિવકાશીબેન

પિતા             માધવરામ

બહેન             સમર્થલક્ષ્મી

લગ્ન             1) હરિલક્ષ્મી-1866  

                         2) લલિતાગૌરી      1876

બાળકો          પુત્રી લીલાવતી , જશવંતી; પુત્ર    રમણીયરામ

અભ્યાસ         મેટ્રિક 1871 ; બી.એ.- 1875 ;          એલ.એલ.બી.- 1883 - એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ

વ્યવસાય        1876- 1883- ભાવનગરના દીવાન  શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી1887- વકીલાત

જીવન ઝરમર   1874 માં પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢી ડૂબ્યા બાદ અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ. જીવનના ત્રણ સંકલ્પ 1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી. 1902- અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં  ભાગ 1905- પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

ચનાઓ         સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4- નવલકથા,     સ્નેહમુદ્રા- કાવ્યસંગ્રહ ,લીલાવતી જીવનકલા  વિ. 

સાભાર            ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના    

Posted in કવિતા, નવલકથા, વિવેચન | Leave a Comment »

ઝવેરચંદ મેઘાણી

Posted by સુરેશ on June 5, 2006

zaverchandmeghani.jpg" રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ "   

જન્મ તારીખ    28 ઓગસ્ટ 1896

જન્મ સ્થળ       ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)

અવસાન         9 માર્ચ 1947

માતા             ધોળીમા

પિતા             કાળીદાસ

ભાઇ              લાલચંદ, પ્રભાશંકર

લગ્ન              1) દમયન્તી 1922 2) ચિત્રાદેવી 1934

બાળકો           પુત્રી  ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક

અભ્યાસ         મેટ્રિક 1912 ; બી.એ.- 1917 શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય       1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી    

જીવન ઝરમર   1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ સિંધુડો માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં છેલ્લી પ્રાર્થના કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં કોઇનો લાડકવાયો કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ

રચનાઓ        કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ 13;લોકસાહિત્ય વિવેચન/ સંશોધન 9; સાહિત્ય વિવેચન 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ 6

મુખ્ય રચનાઓ  તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો

સન્માન         1929 રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 મહીડા પારિતોષિક

સાભાર          ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in કવિતા, નવલકથા, નવલિકા, લોક સાહિત્ય, વિવેચન | 1 Comment »

ધૂમકેતુ

Posted by સુરેશ on June 5, 2006

Dhumketu.GIF“મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. – પોસ્ટ ઓફિસ

નામ                  ગૌરીશંકર જોશી

જન્મ તારીખ    12 ડીસેમ્બર 1892

જન્મ સ્થળ       વીરપુર જલારામ

અવસાન          11 માર્ચ 1965, અમદાવાદ

માતા                 ગંગામા

પિતા                  ગોવર્ધનરામ  

ભાઇ                   રામજીભાઇ, અંબાશંકરભાઇ

લગ્ન                   કાશીબેન 1910

બાળકો                પુત્રી  ઉષા  પુત્ર દક્ષિણકુમાર, અશ્વિનકુમાર, ઘનશ્યામ   

અભ્યાસ             મેટ્રિક 1917- પોરબંદર ; બી.એ.- 1920 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ

 વ્યવસાય          1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં; 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં; 1923- અમદાવાદમાં શેથ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં; 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં;

જીવન ઝરમર   1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા; 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા; 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના  પ્રમુખ; 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા; 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.

રચનાઓ       ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2

મુખ્ય રચનાઓ      નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક, સામાજિક નવલકથા- પૃથ્વીશ, આત્મકથા- જીવનપંથ, નવલિકાઓ તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11; વિવેચન સાહિત્ય વિચારણા; જીવન વિકાસ જિબ્રાનનું જીવન દર્શન; બાળસાહિત્ય ઇતિહાસંની તેજમૂર્તિઓ     

સન્માન        1935 રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર); 1953 નર્મદ સુવર્ણચંદ્રક

સાભાર          ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in આત્મકથા, જીવન પ્રેરક સાહિત્ય, નવલકથા, નવલિકા, નાટક, બાળ-સાહિત્ય, વિવેચન | Leave a Comment »